web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

માટી અને પાણી વિના દિવાલની તિરાડોમાંથી કેવી રીતે ઉગી જાય છે પીપળાનું ઝાડ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

0

પીપળાના ઝાડની વાત નીકળતા જ, આપણાં મગજમાં નાનપણની વાર્તાઓ ફરવા લાગે છે. જેમાં ચુડેલ અથવા ભૂત આવે છે. જોકે, તેના સિવાય પીપળાના ઝાડને ઓક્સિજનનું મશીન પણ માનવામાં આવે છે.

આ ઝાડમાંથી મોટી માત્રામાં ઓક્સિજન નીકળે છે, આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં તેને જીવનનું વૃક્ષ પણ કહેવામાં આવે છે અને તેને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેની પૂજા પણ કરવામાં આવે છે. આજે આપણે તેના આદ્યાત્મિક અથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર નહીં, પરંતુ તે વાત પર ચર્ચા કરીશું કે આખરે આ ઝાડની દિવાલોની તિરાડોમાં કેવી રીતે ઉગે છે.

આ પણ વાંચોઃ જો પેટ્રોલને ગેસ પર ગરમ કરવામાં આવે તો? શું ગેસ સળગાવતા આગ લાગી જશે કે પાણીની જેમ ઉકળવા લાગશે?

દિવાલોની તિરાડો પર કેવી રીતે ઉગે છે પીપળો?

જેમ કે આપણે જાણ્યું કે પીપળાનું ઝાડ જીવનનું વૃક્ષ માનવામાં આવે છે. એટલે કે તેમાંથી ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં છોડવામાં આવે છે. આ છોડના બીજમાં એટલું જીવન છે કે તે ગમે ત્યાં સરળતાથી ઉગી શકે છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ પક્ષી તેના બીજ ખાય છે અને દીવાલ પર પડે છે ત્યારે મળ કરે છે તો બીજ તેના મળની અંદરથી પણ ઉગી જાય છે. તેને ઉગવા માટે ખૂબ જ ઓછું પાણી અને માટીની જરુર પડે છે. ગરમીની સિઝનમાં આ છોડ સરળતાથી ઉગી શકે છે.

આ પણ વાંચોઃ આ ગ્રહ પર થઈ રહ્યો છે હીરાનો વરસાદ, જાણો ધરતી પર કેવી રીતે લાવી શકાશે?

ઘરથી દૂર કેમ લગાવવું જોઈએ આ વૃક્ષ

નિષ્ણાતોનું માનવું છે કે આ વૃક્ષ ગમે તેટલું સારું કેમ ન હોય, તેને ઘરોથી થોડા અંતરે લગાવવું જોઈએ. હકીકતમાં આ વૃક્ષના મૂળ ખૂબ દૂર સુધી ફેલાયેલા છે. આવી સ્થિતિમાં, જો આ ઝાડ તમારા ઘરની નજીક રહે છે, તો તેના મૂળ તમારા ઘરની દિવાલો અને ફ્લોરની નીચે ફેલાશે અને તેના પરિણામે તમારા ઘરની દિવાલોમાં તિરાડો પડી જશે. આ જ કારણ છે કે જેવો જ લોકો પોતાના ઘરની આસપાસ પીપળાનું ઝાડ જુએ છે, તરત જ તેને ઉખેડી નાખે છે.

First published:

Tags: Ajab Gajab, General Knowledge

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW